Proverbs 10

1સુલેમાનનાં નીતિવચનો.

જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે
પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
2દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી,
પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.
3યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ
પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.

4નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે.

પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
5ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે
પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.

6સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે,

પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
7સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે;
પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.

8જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે,

પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
9જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે,
પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે.

10જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે,

પણ બકબકાટ કરનાર નાશ પામશે.
11સદાચારીનું મુખ જીવનનો ઝરો છે,
પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.

12દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે,

પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે,
જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.

14જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે,

પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.
15દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે;
પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.

16સદાચારી માણસની કમાણી જીવન સાધક છે;

પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.
17જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે,
પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.

18જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે

પણ ચાડી કરનાર મૂર્ખ છે.
19ઘણું બોલવામાં દોષની અછત નથી,
પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે.

20સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે;

પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહું નીચું છે.
21નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે,
પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.

22યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે

અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.
23દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે,
પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે.

24દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે,

પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
25વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી,
પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.

26જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે,

તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
27યહોવાહનો ભય આયુષ્ય વધારે છે,
પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.

28સદાચારીની આશાનું પરિણામ આનંદ છે,

પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.
29જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે,
પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે.
30સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ,
પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.

31સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે,

પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે.
પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.
32

Copyright information for GujULB